આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ / ગંગાસતી

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ કર્મકાંડ એને નડે નહીં જેને આવ્યો વચનનો વિશ્વાસ રે, પગલું ભરે પણ વચન તપાસે ને થઈ રહે ગુરુજીના દાસ રે … આદિ અનાદિ જનક વિદેહી ભૂલી ગયો ને દીધો જેણે પેઘડે… Continue reading આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ / ગંગાસતી

અસલી જે સંત હોય તે / ગંગાસતી

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત. અમરીયા બની જે નિતનિત ખેલે… Continue reading અસલી જે સંત હોય તે / ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પ્રપંચથી… Continue reading અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી

અંત:કરણથી પૂજાવાની આશા / ગંગાસતી

અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે … અંતઃકરણથી. અંતર નથી જેનું ઉજળું, ને જેને મોટાપણું મનમાંય રે, તેને બોધ નવ દીજીએ ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે … અંતઃકરણથી. શઠ નવ સમજે સાનમાં ને ભલે કોટિ ઉપાય કરે,… Continue reading અંત:કરણથી પૂજાવાની આશા / ગંગાસતી

મોહનપગલાં / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી ! જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી. માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી, વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.” ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ, સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ, એવાં એનાં રણ-રમણ-આહ્લેકનાં ગાન ગાજ્યાં, ચૌટે, ચોરે, પૂર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં. બિડાયેલા કમલદલમાં જેમ… Continue reading મોહનપગલાં / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

ગર્વોક્તિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

વિશ્વવિજેતા એક ઊભો હું, હો ના કો ઊભવા સામે ! તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં, રહો ના એ જે કો વામે ! એક વિરાટ હું, વિશ્વવિજેતા, અવનિ સર્વ ખલાસ ! બીજો સ્નેહનારો ન્હો જગમાં, મ્હારો પ્રખર પ્રકાશ ! એક અમર હું, સર્વ મરેલા : નવચેતન હું માત્ર ! કો ન્હો મુજને જોતા જેનાં ગલિત થતાં… Continue reading ગર્વોક્તિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

પરી / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

આરસનો ઉજમાળો દેહ; આંખડીએ ઊભરાતો નેહ. પાંખ મહીં તો મોતી મઢ્યાં, હું નીચે, કાં ઊંચે ચઢ્યાં ? અનંત વ્યોમે ગાતી પરી ! મુજ ગૃહથી કાં પાછી ફરી ? વ્યોમબીજ શી તું સુકુમાર, ઊડતું પંખી વ્યોમ અપાર. કાળી આંખો કાળા કેશ, શિરે ધર્યો સાચે શું શેષ ? ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા, મુજ વાડીથી પાછા ફર્યા ?… Continue reading પરી / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

સ્વામાન / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

મન તમારે હાથ ન સોંપ્યું; કેમ કરી અપમાનશો ? વજ્ર સમું અણભેદ હ્રદય આ ; શર સૌ પાછાં પામશો. ઘન ગરજે, વાયુ ફૂંકાયે, વીજળી કકડી ત્રાટકે; બાર મેઘ વરસી વરસીને પર્વત ચીરે ઝાટકે-માન0 હિમાદ્રિ અમલિન સુહાસે, ઊભો આભ અઢેલતો; આત્મા મુજ તમ અપમાનોને હાસ્ય કરી અવહેલતો-માન0 રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મ્હેલ સ્વમાનના; શ્રદ્ધાના… Continue reading સ્વામાન / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

કવિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂંટ્યું : ક્રૂર એ સિકંદરે : શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે. મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો ! તરંગ આવતાં કર્યો અવાજ સિંહનાદ શો. “સેવકો ! લગાડો આગ ! દુશ્મનો થાય ખાખ: ભસ્મસાત આજ થિબ્ઝને કરો ! રહે ન રાખ.” વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે, પશુ બની… Continue reading કવિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

કૂકડાનું ગીત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર !…ધ્રુવ. સૂરજ આવશે સાત ઘોડલે, અરુણ રથ વ્હાનાર ! આગે ચાલું બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર !…અમે0 નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સુનકાર ! ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર !…અમે0 પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં ગાન અમે ગાનાર ! ઊંઘ ભરેલાં સર્વ પોપચે જાગૃતિ-રસ પાનાર !…અમે0 જાગો, ઊઠો ભોર… Continue reading કૂકડાનું ગીત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી